લંડન: ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટન દ્વારા ભારતને પોતાના પ્રત્યાર્પણના આદેશ પર સાઈન કરાયા બાદ ગણતરીના કલાકોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અપીલની પ્રક્રિયા શરૂ કરશે. બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવીદે માલ્યાને મોટો આંચકો આપતા તેને ભારતના પ્રત્યાર્પણ કરવાના આદેશ આપી દીધા છે. ત્યારબાદ માલ્યાએ આ જવાબ આપ્યો. માલ્યા પાસે બ્રિટનની હાઈકોર્ટમાં અપીલની મંજૂરી મેળવવા માટે ચાર ફેબ્રુઆરી સુધીનો 14 દિવસનો સમય છે. માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલની પ્રક્રિયા શરૂ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાગેડુ માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું કે 10 ડિસેમ્બર 2018ના રોજ વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા બાદ મેં અપીલ કરવાના મારા ઈરાદાનો ઉલ્લેખ કર્યો હતો. ગૃહમંત્રીના નિર્ણય અગાઉ હું અપીલની પ્રક્રિયા શરૂ કરી શકત નહીં. હવે હું અપીલની પ્રક્રિયા શરૂ કરી શકુ છું. 


ભાગેડુ વિજય માલ્યાના પ્રત્યાર્પણને બ્રિટને આપી મંજૂરી, મોદી સરકારની મોટી સફળતા


બ્રિટિશ ગૃહ કાર્યાલયે આજે જણાવ્યું કે ફ્રોડનું કાવતરું રચવા અને મની લોન્ડરિંગના આરોપમાં ગૃહ મંત્રીએ માલ્યાના પ્રત્યાર્પણના આદેશ આપ્યાં છે. જેને માલ્યાને પાછો દેશભેગો લાવવાના ભારતના પ્રયત્નોની મોટી સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે. લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટે 10 ડિસેમ્બર 2018ના રોજ કહ્યું હતું કે 63 વર્ષના માલ્યાએ ભારતીય કોર્ટ સમક્ષ જવાબ આપવો પડશે. પત્યાર્પણ સંધિની પ્રક્રિયાઓ હેઠળ ચીફ મેજિસ્ટ્રેટનો ચુકાદો ગૃહમંત્રી જાવીદને મોકલવામાં આવ્યો હતો. કારણ કે માત્ર ગૃહ મંત્રી જ માલ્યાના પ્રત્યાર્પણનો આદેશ આપી શકે છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...